🔥 TRENDING ભાવનગર-સોમનાથ હાઇવે પર કાર પલટી, ચાર વ... સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ૧૦૦મું અંગદ... અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 22 નવેમ્બરે... Youth rally at Patna’s Shri Krishna Me... Patient Claims Wrong Injection Given A... BJP fields Zakir Hussain in Muslim‑maj...
07 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાગરા પખાજણ GIDCમાં માર્ગોની બેહાલ સ્થિતિથી ઉદ્યોગકારો પરેશાન
Local

વાગરા પખાજણ GIDCમાં માર્ગોની બેહાલ સ્થિતિથી ઉદ્યોગકારો પરેશાન

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 07 Sep 2026, 12:20 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પખાજણ GIDCમાં પ્રવેશતા જ ખાડા-કાંકરાના રસ્તાઓની બેહાલ સ્થિતિને કારણે ઉદ્યોગકારોનું કામકાજ બાધિત થઈ રહ્યું છે.

પખાજણ GIDCમાં પ્રવેશતા જ માર્ગોની હાલત બેહાલ દેખાઈ, ખાડા અને કાંકરાવાળા રસ્તાઓ ઉદ્યોગકારો માટે મોટી સમસ્યા બની.

આ માર્ગો પર ખાડા-કાંકરાઓની ભરમાર છે, જે વાહનોને નુકસાન પહોંચાડે છે અને સમયસીમા પૂરી કરવામાં અવરોધ બને છે.

ઉદ્યોગકારો જણાવે છે કે આ બેઢંગીથી માલની પરિવહન ખર્ચ વધે છે, કામમાં વિલંબ થાય છે અને સુરક્ષા જોખમો ઉભા થાય છે.

હાલ સુધી કોઈ સત્તાવાર જવાબદારી સ્વીકારવામાં આવી નથી, સ્થાનિક અધિકારીઓને આ બાબતની તાત્કાલિક તપાસ અને સુધારો કરવા માટે કહેવામાં આવ્યું છે.

ઉદ્યોગકારો આશા રાખે છે કે યોગ્ય પગલાં લઈને માર્ગોની મરામત અને સુધારો કરવામાં આવશે, જેથી વિકાસની પોલ ફરી ખૂલે.

માર્ગની હાલત એટલી હદે કથળી ગઈ છે કે રોડ ક્યાં છે અને ખાડો ક્યાં છે તે શોધવું પણ વાહનચાલકો માટે મુશ્કેલ બની રહ્યું છે. ક્યાંક ડામરનું નામોનિશાન નથી તો ક્યાંક રસ્તો જાણે ખોદીને અધૂરો છોડી દેવાયો હોય તેવા દૃશ્યો સર્જાયા છે.
પરિણામે રોજિંદા અવરજવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પખાજણા GIDC જેવા ઔદ્યોગિક વિસ્તારમાં દેશ-વિદેશની કંપનીઓ સાથે જોડાયેલા ઉદ્યોગકારો, કામદારો અને ભારે વાહનોની સતત અવરજવર રહે છે. તેમ છતાં GIDCના મુખ્ય માર્ગોની આવી દયનીય સ્થિતિ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

ખખડધજ રસ્તાઓને કારણે વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનું જોખમ પણ વધી રહ્યું છે. સાથે જ વાહન ચાલકો સહિત ઉદ્યોગકારો અને નોકરીયાત વર્ગના લોકોનો સમયનો પણ વેડફાટ થઈ રહ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે આ રસ્તાની આવી હાલત માટે જવાબદાર કોણ? GIDC તંત્ર કે પછી રસ્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર? જો રોડનું કામ થયું છે, તો તેની ગુણવત્તાની તપાસ કોણે કરી? અને જો કામ અધૂરું કે હલકી ગુણવત્તાનું થયું હોય તો જવાબદારો સામે કાર્યવાહી કેમ નહીં?
હવે માત્ર કાગળ પરની કામગીરી કે આશ્વાસન નહીં, પરંતુ રસ્તાની ગુણવત્તાની તાત્કાલિક તપાસ, જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી અને માર્ગનું કાયમી ધોરણે સમારકામ જરૂરી બન્યું છે. પખાજણા GIDCના ઉદ્યોગકારો અને વાહનચાલકોનો સીધો સવાલ છે, રસ્તા માટે ફાળવાતા નાણાં ક્યાં જાય છે? અને રોડની આ હાલત માટે જવાબદાર કોણ છે?
📲Get App