નેપાળમાં ફરી પૂરનો કહેર! 4 ઘર અને બ્રિજ તણાયા
નેપાળમાં ફરી પૂરનો કહેર
નેપાળના ગોરખા જિલ્લામાં રવિવારે વહેલી સવારે નામરૂંગ નદીમાં અચાનક પૂર આવ્યું હતું. પૂરનાં પાણીમાં 4 ઘર અને એક સસ્પેન્શન બ્રિજ તણાઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પૂર આવવાની જાણ થતાં સ્થાનિક લોકો સમયસર સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. બ્રિજ તણાઈ જવાથી મનાસલુ ટ્રેકિંગ રૂટ પર અવરજવરને અસર થઈ છે.
નામરૂંગ નદી આગળ જઈને બુઢીગંડકી નદીમાં મળે છે. તેથી બુઢીગંડકી નદીના કાંઠે રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
નેપાળના ગોરખા જિલ્લામાં રવિવારે વહેલી સવારે નામરૂંગ નદીમાં અચાનક પૂર આવ્યું હતું. પૂરનાં પાણીમાં 4 ઘર અને એક સસ્પેન્શન બ્રિજ તણાઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પૂર આવવાની જાણ થતાં સ્થાનિક લોકો સમયસર સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. બ્રિજ તણાઈ જવાથી મનાસલુ ટ્રેકિંગ રૂટ પર અવરજવરને અસર થઈ છે.
નામરૂંગ નદી આગળ જઈને બુઢીગંડકી નદીમાં મળે છે. તેથી બુઢીગંડકી નદીના કાંઠે રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.