🔥 TRENDING 23 Suspected Bangladeshis Detained in... Congress Takes the Helm to Avert Polit... Jyothy Labs Says Fire at Punjab Wareho... The Hindu releases its September 6, 20... Assam to Build Rs 534 Crore Wildlife S... Police seize Yaba tablets worth over R...
07 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટમાં "વિરાસતથી વિકાસ" લોકમેળાનો અંતિમ દિવસ ઉજવાયો
Local

રાજકોટમાં "વિરાસતથી વિકાસ" લોકમેળાનો અંતિમ દિવસ ઉજવાયો

✍️ Reporter: Nileshkumar Madhar 🗓 06 Sep 2026, 11:52 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટમાં યોજાયેલ "વિરાસતથી વિકાસ" લોકમેળાનો અંતિમ દિવસ સફળતાપૂર્વક સમાપ્ત થયો.

રાજકોટ શહેરમાં તંત્ર દ્વારા આયોજિત “વિરાસતથી વિકાસ” લોકમેળાનો આજે ભવ્ય સમાપન દિવસ

રાજકોટ, તા. ૬ સપ્ટેમ્બર ૨૦૨૬:
રાજકોટ શહેરમાં તંત્ર દ્વારા આયોજિત “વિરાસતથી વિકાસ” લોકમેળો આજે પોતાના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી યોજાયેલા આ લોકમેળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં નગરજનો અને મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા.

લોકમેળામાં ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને વિરાસતને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો, સાંસ્કૃતિક રજૂઆતો, હસ્તકલા-હાથવણાટની ચીજવસ્તુઓ, વિવિધ ખાણીપીણીના સ્ટોલ તેમજ મનોરંજનના આકર્ષણો લોકો માટે મુખ્ય આકર્ષણ બન્યા હતા.

આ લોકમેળાના અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટવાની સંભાવનાને પગલે તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા, પાર્કિંગ, સ્વચ્છતા અને મુલાકાતીઓની સુવિધાઓ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

“વિરાસતથી વિકાસ” લોકમેળાએ ગુજરાતની સમૃદ્ધ લોકપરંપરા અને સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા સાથે સ્થાનિક કલાકારો, કારીગરો અને નાના વેપારીઓને પણ પ્રોત્સાહન આપવાનું કાર્ય કર્યું છે.

આજે લોકમેળાના અંતિમ દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મેળાનું ભવ્ય સમાપન કરવામાં આવશે. છેલ્લા દિવસે પણ રાજકોટવાસીઓ સહિત મોટી સંખ્યામાં મુલાકાતીઓ મેળાની મુલાકાત લઈ લોકસંસ્કૃતિ અને મનોરંજનનો આનંદ માણી રહ્યા છે.

રિપોર્ટર:- નિલેશકુમાર માધર
Need 24 News- હર ખબર હર શહેર
📲Get App