Local
જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભયજનક સિગ્નલ, માછીમારોને 2-3 દિવસ માટે દરિયો છોડવા અપીલ
Watch on:
📘 Facebook
હવામાન વિભાગે અરબી સમુદ્રમાં ડિપ્રેશનને કારણે ભારે વરસાદ અને 35 નોટ્સ સુધી પવનની આગાહી કરી, જેના પરિણામે જાફરાબાદ બંદરે 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો છોડવા સૂચિત કરવામાં આવ્યા છે.
જાફરાબાદ બંદરે હવામાન વિભાગની આગાહીને પગલે 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જ્યારે અગાઉ 1 નંબરનું સિગ્નલ હટાવવામાં આવ્યું હતું.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે. પરિણામે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને 12 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
તંત્રએ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, શિયાળ બેટ અને ધારાબંદર સહિતના કોસ્ટલ બેલ્ટને એલર્ટ પર મૂક્યા છે. જાફરાબાદ બોટ એસોસિએશનને લેખિતમાં જાણ કરી તમામ બોટને તાત્કાલિક પરત બોલાવવાના આદેશ આપવામાં આવ્યા છે.
બંદર અધિકારી દ્વારા તમામ માછીમારોને આગામી 2-3 દિવસ સુધી દરિયો ન ખેડવા અને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે, કારણ કે પવનની ગતિ 35 નોટ્સ સુધી વધવાની શક્યતા છે.ફોટો AI ની મદદ થી બનાવેલો સે જે ધ્યાન મા લેવું
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે. પરિણામે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને 12 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
તંત્રએ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, શિયાળ બેટ અને ધારાબંદર સહિતના કોસ્ટલ બેલ્ટને એલર્ટ પર મૂક્યા છે. જાફરાબાદ બોટ એસોસિએશનને લેખિતમાં જાણ કરી તમામ બોટને તાત્કાલિક પરત બોલાવવાના આદેશ આપવામાં આવ્યા છે.
બંદર અધિકારી દ્વારા તમામ માછીમારોને આગામી 2-3 દિવસ સુધી દરિયો ન ખેડવા અને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે, કારણ કે પવનની ગતિ 35 નોટ્સ સુધી વધવાની શક્યતા છે.ફોટો AI ની મદદ થી બનાવેલો સે જે ધ્યાન મા લેવું