🔥 ट्रेंडिंग अरुणाचल कांग्रेस ने सियांग जलविद्युत प... मौसम विभाग के अनुसार अगले दो दिनों में... जम्मू-कश्मीर सरकार ने CCE-2024 के तहत... MeT ने जम्मू-कश्मीर में 17 सितंबर तक ग... नाचना में विकसित भारत जन सेवा अभियान क... ऑफ़लाइन संगीत कार्यक्रमों से नई कलाकार...
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

Sarkari karmchari

✍️ रिपोर्टर: Sabir Haji 🗓 12 सित. 2026, 03:28 PM 👁 29
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

રૂપેણ બંદર/દ્વારકા:
રૂપેણ બંદર ખાતે બોટોના સ્થળ નિરીક્ષણ (Inspection) માટે મૌખિક હુકમ કરવામાં આવ્યો હોવા છતાં મત્સ્યોદ્યોગ વિભાગ કે ઓખા-વેરાવળ કચેરી તરફથી કોઈ પણ અધિકારી કે કર્મચારી સ્થળ પર ન પહોંચતાં બોટ માલિકોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળ્યો છે.
મળેલી માહિતી અનુસાર, ગત તારીખ ૦૭/૦૯/૨૦૨૬ના રોજ વેરાવળ કચેરી ખાતે RTI અપીલની સુનાવણી દરમિયાન મત્સ્યોદ્યોગ વિભાગના નાયબ નિયામક દ્વારા બુધવાર, તારીખ ૦૯/૦૯/૨૦૨૬ના રોજ રૂપેણ બંદર ખાતે આવેલી અંદાજે ૪૦૦થી ૫૦૦ બોટોનું સ્થળ નિરીક્ષણ કરવાનો મૌખિક આદેશ આપવામાં આવ્યો હતો.
આ આદેશના પગલે રૂપેણ બંદરના તમામ ૪૦૦ થી ૫૦૦ બોટ માલિકો પોતાની બોટો સાથે વહેલી સવારથી જ બંદર પર હાજર રહ્યા હતા. જોકે, બપોર સુધી રાહ જોયા બાદ પણ મત્સ્યોદ્યોગ વિભાગ તરફથી કોઈ પણ અધિકારી કે કર્મચારી સ્થળ નિરીક્ષણ માટે આવ્યા ન હતા.
આ બાબતે રૂપેણ બંદરના સ્થાનિક રહેવાસી અમીનભાઈ કસમભાઈ ભેસલીયા દ્વારા નાયબ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી (વેરાવળ) ને ઈમેલ મારફતે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. તેમણે માંગ કરી છે કે:
૧. અધિકારીઓ સ્થળ પર કેમ ન આવ્યા તેનો યોગ્ય ખુલાસો કરવામાં આવે.
૨. નિરીક્ષણ માટે ફરીથી નવી તારીખ અને સમય નક્કી કરીને વહેલી તકે બોટ માલિકોને જાણ કરવામાં આવે.
૩. આ ઈમેલને બોટ માલિકોની બંદર પરની હાજરીના પુરાવા (રેકોર્ડ) તરીકે માન્ય રાખવામાં આવે.
આ ઘટનાને પગલે માછીમારો અને બોટ માલિકોમાં તંત્રની બેદરકારી સામે ભારે વિરોધનો સૂર ઉઠ્યો છે.
📲Get App