મહિસાગર જિલ્લા પોલીસ વડા ના અઘ્યક્ષપદે બેઠક યોજાઈ
આગામી ગણેશોત્સવ અને ગણેશ વિસર્જન પર્વની શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર ઉજવણી થાય તે હેતુથી, મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાહેબના અધ્યક્ષ સ્થાને સમગ્ર જિલ્લાની 'શાંતિ સમિતિ'ની મહત્વપૂર્ણ બેઠક ૪૨ પાટીદાર સમાજની વાડી લુણાવાડા ખાતે યોજાઈ.
સૌ નાગરિકો સાથે મળીને ભાઈચારા અને સુલેહ-શાંતિના વાતાવરણમાં ઉત્સવ ઉજવે તે માટે જરૂરી ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું. બેઠકમાં જિલ્લાના તમામ સમાજના અગ્રણીઓ તેમજ જિલ્લાના વિવિધ ગણપતિ મંડળોના પ્રતિનિધિઓ ઉપરાંત જિલ્લાના પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા
સૌ નાગરિકો સાથે મળીને ભાઈચારા અને સુલેહ-શાંતિના વાતાવરણમાં ઉત્સવ ઉજવે તે માટે જરૂરી ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું. બેઠકમાં જિલ્લાના તમામ સમાજના અગ્રણીઓ તેમજ જિલ્લાના વિવિધ ગણપતિ મંડળોના પ્રતિનિધિઓ ઉપરાંત જિલ્લાના પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા