મહીસાગર માંથી પસાર થતા માર્ગો પર પદયાત્રીઓ નો ઘસારો
પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના વિવિધ ગામો અને વિસ્તારમાંથી અંબાજી ખાતે પગપાળા યાત્રાએ જતા શ્રદ્ધાળુઓના સંઘથી મહીસાગર જિલ્લામાંથી પસાર થતાં માર્ગો જેવા કે સંતરામપુર લુણાવાડા માર્ગ મલેકપુર કડાણા ખાનપુર માર્ગ બાકોર પાંડર વાળા બાબલીયા માર્ગ અને મહીસાગર જિલ્લામાંથી પસાર થતો હાલોલ શામળાજી ધોરીમારી યાત્રીઓના સંઘથી ઉભરાઈ રહ્યો છે યાત્રીઓની સુવિધા તેમજ આરામ અને ખાવા પીવા ની વ્યવસ્થા માટે માર્ગો ઉપર સ્થાનિક ગામ લોકો દ્વારા વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ પ્રશાસન દ્વારા પણ યાત્રીઓની સલામતી અને સુરક્ષા માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે સમગ્ર માર્ગ દિવસ રાત યાત્રાળુઓ થી ધમધમતો જોવા મળી રહ્યો છે