🔥 TRENDING સુરત ગ્રામ્ય SOGએ પેરોલ પરથી ફરાર આરોપ... चौक शिकारपुर ओवरब्रिज पर चढ़ा एक युवक પલસાણા તાલુકાના વાંકાનેડા ગામમાં મહાદે... પલસાણા તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ,... સુરત સાયબર પોલીસએ હીરા ઉદ્યોગપતિ ગોવિં... મુન્દ્રા-ભુજને જોડતો નિર્માણાધીન બિ્રજ...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અંકલેશ્વર: નર્મદા નદીમાં યુવાનનું મૃતદેહ તરતા મળ્યું

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 15 Sep 2026, 06:50 PM 👁 9
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં નર્મદા મૈયા બ્રિજ નીચેથી યુવાનનો મૃતદેહ તરતા મળ્યો. ઘટનાની તપાસ પોલીસ દ્વારા ચાલી રહી છે.

અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં નર્મદા મૈયા બ્રિજ નીચેથી એક યુવાનનો મૃતદેહ તરતી હાલતમાં મળ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં ચર્ચા જાગી છે.

ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. ટીમે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી કિનારે લાવ્યો હતો.

પછી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લીધો હતો.

પોલીસે યુવાનની ઓળખ કરવા અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. યુવાનનું મોત કયા સંજોગોમાં થયું તે પોલીસ તપાસ પછી જ સ્પષ્ટ થશે.
📲Get App