અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા રોહીસા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા રોહીસા ગામમાં મોડી રાત્રે વનરાજની પધરામણી થતાં ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો છે. ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે ૨ સિંહો શિકારની શોધમાં મોડી રાત્રે રોહીસા ગામની અંદર પ્રવેશ્યા હતા અને ગામની વચોવચ જ એક પશુ પર હુમલો કરી તેનું મારણ કર્યું હતું.
ચાલુ વરસાદમાં જ બંને સિંહો કલાકો સુધી ગામની ગલીઓ અને રસ્તાઓ પર શાંતિથી ફરતા રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગામમાં અવારનવાર સિંહોના આંટાફેરા અને પશુઓના શિકારની ઘટનાઓ વધતાં ગ્રામજનો પોતાના અને માલધારી પશુઓની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. સ્થાનિક લોકોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક ધોરણે આ સિંહોને પાંજરે પૂરી પકડીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં ખસેડવાની ઉગ્ર માંગ કરી છે.
ચાલુ વરસાદમાં જ બંને સિંહો કલાકો સુધી ગામની ગલીઓ અને રસ્તાઓ પર શાંતિથી ફરતા રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગામમાં અવારનવાર સિંહોના આંટાફેરા અને પશુઓના શિકારની ઘટનાઓ વધતાં ગ્રામજનો પોતાના અને માલધારી પશુઓની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. સ્થાનિક લોકોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક ધોરણે આ સિંહોને પાંજરે પૂરી પકડીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં ખસેડવાની ઉગ્ર માંગ કરી છે.