🔥 TRENDING ભિલોડાનું ૧૨૦૦ વર્ષ જૂનું ભવનાથ મંદિર:... હિંમતનગર પોલીસ કચેરીમાં ગણેશ મહોત્સવ અ... CM Khemchand says BJP pushes for commu... Manipur CM Praises BJP as Sole Party D... Former Manipur CM Okram Ibobi Singh De... 15‑kg Ovarian Tumour Successfully Remo...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં સ્વ. સુશીલાબેન રામજીભાઈ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક દંત યજ્ઞ કેમ્પ યોજાયો હતો

✍️ Reporter: Gilani Asikali 🗓 14 Sep 2026, 08:12 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લા ના વિરમગામ ખાતે સ્વ. સુશીલાબેન રામજીભાઈ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા તથા લાયન્સ ક્લબ ઓફ વિરમગામના સહયોગથી નિઃશુલ્ક દંત યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની દાંતની તપાસ કરવામાં આવી તેમજ દાંત અને મોઢાના સ્વાસ્થ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી નિઃશુલ્ક દંત સારવારનો લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન આયુર્વેદિક પદ્ધતિથી દાંતની સંભાળ અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના હેતુથી આવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App