🔥 TRENDING West Bengal Finance Minister Swapan Da... West Bengal By‑election: Nandigram and... Severe Floods Grip Bihar as Major Rive... Bihar government warns against fishing... Bihar Man Parks New SUV on House Roof... PM Modi to inaugurate and lay foundati...
08 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

હિંમતનગરમાં જનચેતના આરોગ્ય નેતૃત્વ વર્કશોપ, જન આરોગ્ય યોજનાઓની જાણકારી

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 08 Sep 2026, 12:54 AM 👁 12
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલની અધ્યક્ષતામાં હિંમતનગરમાં યોજાયેલ વર્કશોપમાં જનપ્રતિનિધિઓને વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓ અને રક્તદાનનું મહત્તમ વિશે માહિતગાર કરવામાં આવ્યું.

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સ્થિત જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલની અધ્યક્ષતામાં ‘જનચેતના – જન આરોગ્ય નેતૃત્વ અને કોમ્યુનિટી એન્ગેજમેન્ટ ફોર હેલ્ધી તાલુકા એક્શન’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાનો કોમ્યુનિટી લીડર સેન્સિટાઇઝેશન વર્કશોપ યોજાયો.

વર્કશોપનો મુખ્ય હેતુ જનપ્રતિનિધિઓને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, માતૃ-બાળ કલ્યાણ સહિતની વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓ અંગે માહિતી આપવાનો તેમજ અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે જનજાગૃતિ ફેલાવવાનો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલે લોકો સુધી આરોગ્ય સેવાઓ અને સરકારી યોજનાઓના લાભ પહોંચાડવા માટે સૌને સક્રિયપણે કામગીરી કરવા અપીલ કરી. સાથે જ સગર્ભા માતાઓ અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે સમગ્ર જિલ્લામાં વર્ષભર નિયમિત રક્તદાન કેમ્પ યોજવા ભાર મૂક્યો.

આ કાર્યક્રમમાં આરોગ્ય અધિકારીઓ દ્વારા PM-JAY, એનિમિયા, પોષણ, રક્તદાનનું મહત્વ, ચાંદીપુરા વાયરસ, સર્વાઇકલ કેન્સર રસીકરણ સહિતના વિવિધ આરોગ્યલક્ષી મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. additionally, જિલ્લા પંચાયતના સભ્યોનું BP અને ડાયાબિટીસનું આરોગ્ય પરીક્ષણ પણ કરવામાં આવ્યું.
📲Get App