🔥 TRENDING West Bengal Finance Minister Swapan Da... West Bengal By‑election: Nandigram and... Severe Floods Grip Bihar as Major Rive... Bihar government warns against fishing... Bihar Man Parks New SUV on House Roof... PM Modi to inaugurate and lay foundati...
08 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વીરમગામમા ભોજવા નજીક અજાણ્યા વાહનની અડફેટે સીએનજી રિક્ષાનો અકસ્માત, મહિલાનું મોત

✍️ Reporter: Gilani Asikali 🗓 07 Sep 2026, 11:47 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વીરમગામ નજીક ભોજવા ગામમાં આવેલા દસામાંના મંદિર પાસે હાઈવે રોડ પર અજાણ્યા વાહનની અડફેટે સીએનજી રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર 42 વર્ષીય મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.મળતી માહિતી મુજબ, ભોજવા ગામ નજીક દસામાંના મંદિર પાસે હાઈવે રોડ પરથી સીએનજી રિક્ષા પસાર થઈ રહી હતી. દરમિયાન પૂરઝડપે આવેલા અજાણ્યા વાહનના ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્મતમાં રિક્ષામાં સવાર ઉષાબેન વિપુલભાઈ વ્યાસ ઉંમર 42 વર્ષને માથાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ જમણા હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
અકસ્મત બાદ અજાણ્યો વાહનચાલક વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે વીરમગામ ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.વીરમગામ ટાઉન પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App