🔥 ट्रेंडिंग રાજુલા લોકમેળાનુ આયોજન રુદ્ર ગ્રુપ દ્વ... ओडिशा सरकार ने रखरखाव अनुदान व अलिमनी... कनक न्यूज़ ओडिशा ने 30 अगस्त 2026 को र... भाद्रक के सब‑इंस्पेक्टर को पत्नी के शा... गुजरात के उपमुख्यमंत्री की फोटो का फर्... गुजरात के 15,000 से अधिक छात्रों ने कठ...
31 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મિશન વાત્સલ્યની સંવેદનશીલ કામગીરીથી મૂકબધિર બાળકનું પરિવાર સાથે મિલન

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 29 अग. 2026, 06:44 PM 👁 7
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સોશિયલ મીડિયા અને સંકલિત પ્રયાસોથી ૧૧ વર્ષીય બાળક પરિવાર સુધી પહોંચ્યું
નર્મદા જિલ્લામાં પરિવારથી વિખૂટા પડી ગયેલા ૧૧ વર્ષીય મૂકબધિર બાળકનું આખરે તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે.
એકતાનગર વિસ્તારમાં બાળક એકલવાયું ફરતું જોવા મળતાં પ્રવાસીઓએ તાત્કાલિક ૧૧૨ પોલીસ વાનનો સંપર્ક કરી બાળકને પોલીસને સોંપ્યું હતું.
બાળક બોલી અને સાંભળી શકતું ન હોવાથી તેની ઓળખ અને પરિવાર અંગેની માહિતી મેળવવામાં મુશ્કેલી પડી હતી. ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિના આદેશથી બાળકને રાજપીપળા ખાતેના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં આશ્રય આપવામાં આવ્યો હતો.
મિશન વાત્સલ્યની ટીમ અને પોલીસ વિભાગે સોશિયલ મીડિયા સહિતના વિવિધ માધ્યમોથી બાળકના પરિવારને શોધવાની કામગીરી હાથ ધરી હતી. સતત પ્રયાસોના પરિણામે બાળક વડોદરા જિલ્લાના ડભોઇનો વતની હોવાનું જાણવા મળ્યું અને તેના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો.
જરૂરી ચકાસણી બાદ બાળ કલ્યાણ સમિતિ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇન અને એકતાનગર પોલીસના સંકલિત પ્રયાસોથી બાળકને સહીસલામત તેના પરિવારને સોંપવામાં આવ્યો.
આ સમગ્ર કામગીરી બાળ સુરક્ષા માટેની સંવેદનશીલતા, ઝડપી કાર્યવાહી અને અસરકારક સંકલનનું ઉત્તમ ઉદાહરણ બની છે.
બાળકોની સુરક્ષા — આપણી સૌની જવાબદારી.
📲Get App