રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર: ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું ફરી શરૂ, પાણીનું સંકટ ટળ્યું
રાજકોટમાં ચાલુ વર્ષે પૂરતો વરસાદ ન પડવાને કારણે પીવાના પાણીની ભારે વિકટ પરિસ્થિતિ ઊભી થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી હતી. રાજકોટની જનતાને દૈનિક ધોરણે પર્યાપ્ત અને પૂરતા દબાણથી પાણી પૂરું પાડતા મુખ્ય સ્રોત એવા આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં જોઈએ તેવી પાણીની નવી આવક થઈ ન હતી. આ સ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોને પાણીના સંકટમાંથી ઉગારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના હેઠળ પાણી ફાળવવાની રજૂઆત કરવામાં આવી હતી.