🔥 TRENDING Sister Shares Instagram Reel with Late... Shahneel Gill Evicted from The Traitor... Bollywood Stars Celebrate Raksha Bandh... GQ India Pays Tribute to Dolly Parton... Spotify rolls out Premium Early Access... Maharashtra CET CAP Round 3 2026 Resul...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Defence

બ્રિગેડિયર દ્વારા ધાંગધ્રા કોલેજમાં એનસીસી કેડેટ્સને માર્ગદર્શન

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 27 Aug 2026, 10:06 AM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બ્રિગેડિયરે ધાંગધ્રા કોલેજમાં એનસીસી કેડેટ્સને સૈન્ય માર્ગદર્શન આપ્યું.

ધાંગધ્રા કોલેજમાં ભારતીય સશસ્ત્ર દળોના બ્રિગેડિયરે એનસીસી કેડેટ્સને માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં કેડેટ્સને સૈન્ય શિસ્ત, નેતૃત્વ અને શારીરિક તાલીમ સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી.
ધાંગધ્રા ની એસએસપી જૈન કોલેજ ખાતે રાજકોટ એનસીસી ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર સુસીમ બિશ્વાસે મુલાકાત લઈને કોલેજના એનસીસી યુનિટના કેડેટસને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર પ્રતિકભાઇ દવે સીટીઓ ડોક્ટર ડીએમ ચૌધરી ભૂતપૂર્વ એનસીસી ઓફિસર કેપ્ટન ડોક્ટર જે આર ડાંગર સહિતના એનસીસી કેડેટસ ઉપસ્થિત રહ્યા હતા
બ્રિગેડિયરે કેડેટ્સને વિવિધ ક્ષેત્રોમાં તેમની ક્ષમતા વધારવા માટેની પદ્ધતિઓ અને પ્રાયોગિક અભ્યાસો સમજાવ્યા. તેમણે કેડેટ્સને સમય વ્યવસ્થાપન, ટીમવર્ક અને આપત્તિ પ્રતિક્રિયા જેવા મહત્વપૂર્ણ પાસાઓ પર ભાર મૂક્યોહતો

કાર્યક્રમના અંતે કેડેટ્સએ બ્રિગેડિયરની માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો અને આ પ્રકારની સૈન્ય માર્ગદર્શિકા તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસમાં સહાયક રહેશે એમ જણાવ્યું.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App