🔥 TRENDING દેહગામ-બાયડ રોડ પર ડાભા વાત્રક નદી પર... પાટણ રેલવે સ્ટેશન પર ભગત કી કોઠી–ચેન્ન... ભાવનગર લઠ્ઠાકાંડ: ધારાસભ્ય જીગ્નેશ મેવ... એનાલોગ પનીર અને ડેરી પ્રોડક્ટ્સ પર પ્ર... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યુયોર્કમ... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યુયોર્કમ...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ભાવનગર લઠ્ઠાકાંડ: ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પીડિતોની મુલાકાત લીધી, ગૃહમંત્રીના રાજીનામાની માંગ

✍️ Reporter: Hardik Shukla 🗓 21 Aug 2026, 07:02 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિતોની મુલાકાત લીધી અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા.

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે ભાવનગર પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિતોની મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી.

આ મુલાકાત દરમિયાન મેવાણીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્યમાં દારૂના ગેરકાયદે ધંધા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવતા ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી.

મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં નશાના ગેરકાયદે કારોબારને રાજકીય અને વહીવટી રક્ષણ મળી રહ્યું છે, જેના કારણે આવી દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે. તેમણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરવાની તેમજ તમામ જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
📲Get App