🔥 TRENDING जयपुर: पत्नी ने पति को जहर देकर की हत्... ભાવનગર લઠ્ઠા કાંડમાં પોલીસનો સપાટો, આ... ભરૂચના શોપિંગ સેન્ટરમાં લિફ્ટમાંથી ચાર... મહુવા: સ્વામિનારાયણ માર્ગ પર બિનખેતી જ... ભાવનગરમાં નકલી દારૂના મામલે પોલીસની કા... ગોપાલગ્રામ ખાતે CC રોડનું ખાતમુહૂર્ત
20 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલીના અભરામપરા ગામના શ્રદ્ધાળુઓ શ્રાવણ માસ નિમિત્તે સોમનાથની પગપાળા યાત્રાએ નીકળ્યા

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 20 Aug 2026, 03:44 PM 👁 20
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના અભરામપરા ગામના શ્રદ્ધાળુઓ છેલ્લા 25 વર્ષથી પરંપરાગત રીતે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પગપાળા યાત્રાનું આયોજન કરે છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામના શ્રદ્ધાળુઓ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પગપાળા યાત્રાએ નીકળ્યા છે. ભક્તિભાવ સાથે આ શ્રદ્ધાળુઓ સોમનાથ જવા માટે રવાના થયા હતા.

ઉલ્લેખનીય છે કે, અભરામપરા ગામના ગ્રામજનો દ્વારા છેલ્લા 25 વર્ષથી દર વર્ષે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ સુધીની આ પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરા જાળવી રાખીને શ્રદ્ધાળુઓનો મોટો સમૂહ સોમનાથ જવા માટે રવાના થયો છે.
📲Get App