🔥 TRENDING દબાણ હટાવ્યા બાદ ઘરવિહોણા પરિવારોની કલ... મહુધા વિધાનસભાના પણસોરા-અલીણા-લાડવેલ મ... ઈડરમાં આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકો... પોરબંદરના ટીંબીનેશ ગામે દૂધમાં ભેળસેળ... पटना हाईकोर्ट का बड़ा फैसला: रात 9:55... રાજકોટમાં દારૂના વેચાણ અંગે માહિતી આપવ...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા: નવજાત બાળકીની માનવ તસ્કરી કરનાર ગેંગનો પર્દાફાશ, મુંબઈ અને બનાસકાંઠાથી આરોપીઓની ધરપકડ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 20 Aug 2026, 07:34 PM 👁 12
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા માનવ તસ્કરીના કેસમાં સાબરકાંઠા એ.એચ.ટી.યુ. અને એસ.ઓ.જી.ની ટીમે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવજાત બાળકીના વેચાણ અને માનવ તસ્કરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એ.એચ.ટી.યુ. અને એસ.ઓ.જી.ની ટીમોએ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસને મહત્વની સફળતા મળી હતી. પોલીસે મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતેથી સીતારામ કેવડાજી પરમાર (રહે. ઉદેપુર, રાજસ્થાન) અને કવિતાબેન પ્રતાપ જાદવ (રહે. ડોમ્બિવલી, મુંબઈ)ની ધરપકડ કરી છે, જ્યારે ત્રીજા આરોપીને બનાસકાંઠાના દાંતા ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. અગાઉ પકડાયેલા આરોપીઓના ૧૧ દિવસના રિમાન્ડ મેળવીને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, સીતારામ પરમાર મુખ્ય દલાલ તરીકે કામ કરતો હતો અને કમિશન મેળવીને બાળકોને મુંબઈ વેચવાનું કામ કરતો હતો. જ્યારે કવિતાબેન જાદવ ટ્રાફિકિંગ એજન્ટ તરીકે કામ કરતી હતી, જે અન્ય આરોપીઓ મારફતે બાળકો મેળવીને આગળ વેચાણ કરતી હતી. આ સમગ્ર ઓપરેશનમાં એ.એચ.ટી.યુ. અને એસ.ઓ.જી.ના અધિકારીઓ તથા કર્મચારીઓની મોટી ટીમ સામેલ હતી.
📲Get App