🔥 TRENDING Bharat Mata Canteen‑cum‑Shelter House... Maharaja Bir Bikram Recognized as Arch... Monsoon rains trigger landslides in Hi... Himachal CM Sukhu to Cut 200 Crore Exp... Himachal CM Sukhvinder Singh Sukhu Say... Three Rape Survivors Climb Water Tank...
19 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામમાં શીતળા સાતમની પરંપરાગત ઉજવણી

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 19 Aug 2026, 02:47 PM 👁 5
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કંથરપુરા ગામમાં શીતળા સાતમની ઉજવણીમાં બ્રાહ્મણ દ્વારા માટીની મૂર્તિ બનાવવામાં આવે છે, ગામવાસીઓ ગલોડીના વેલા ચઢાવી શ્રીફળ વધેરવામાં આવે છે અને બાધાની પરંપરા સાથે આરોગ્ય અને માતાજીની કૃપા માટે પ્રાર્થના કરવામાં આવે છે.

તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામમાં શીતળા સાતમની વર્ષો જૂની પરંપરા મુજબ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી. ગામમાં બ્રાહ્મણ પોતાના ઘરે માટીમાંથી શીતળા માતાજીની મૂર્તિ બનાવી પૂજા-અર્ચના કરે છે, ત્યારબાદ ગામના લોકો માતાજીના દર્શન માટે પહોંચે છે. શીતળા માતાજીને ગલોડીના વેલા ચઢાવી શ્રીફળ વધેરવામાં આવે છે અને "શીતળા માતાજીની જય"ના જયઘોષ સાથે પરિવારના સુખ, શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.

ગામના લોકો દ્વારા બ્રાહ્મણને દાળ, ચોખા સહિતની સામગ્રી પણ આપવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી. રાંધણ છઠના દિવસે તૈયાર કરેલી વિવિધ વાનગીઓ બીજા દિવસે ઠંડી આરોગવાની પરંપરા છે.

કંથરપુરા ગામમાં શીતળા સાતમની સાથે બાધાની પણ આગવી પરંપરા જોવા મળે છે. જે વ્યક્તિ બાધા રાખે છે, તે શીતળા સાતમના દિવસે પાંચ ઘરેથી વિવિધ વાનગીઓ માંગે છે અને જે મળે તેને પ્રસાદરૂપે આરોગે છે. આ પરંપરાને આરોગ્ય અને માતાજીની કૃપા સાથે જોડાયેલી માન્યતા માનવામાં આવે છે.

આ ઉપરાંત, જે પરિવારમાં સ્વજનનું અવસાન થયું હોય ત્યાં તળેલી વાનગીઓ બનાવવામાં આવતી નથી. સગા-સંબંધીઓ પોતાના ઘરે વિવિધ વાનગીઓ બનાવી આવા પરિવારના ઘરે પહોંચાડે છે.

આમ, કંથરપુરા ગામની શીતળા સાતમની ઉજવણી ધાર્મિક આસ્થા સાથે વર્ષો જૂની પરંપરા, સામાજિક લાગણી અને લોકસંસ્કૃતિની આગવી ઓળખ દર્શાવે છે.
📲Get App