🔥 TRENDING ભાવનગરમાં લઠ્ઠાકાંડ કેસની તપાસમાં ઝડપ,... टीडीसी कोंच नाका सबस्टेशन क्षेत्र में... વલસાડમાં અતુલ નેશનલ હાઇવે ઓવરબ્રિજ પર... તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જુના જમ... चौरसी में निर्माणाधीन फायर स्टेशन का ए... उत्तर प्रदेश कौशल विकास मिशन में BlueD...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ‘સ્કૂલ ઠીક કરો ગુજરાત’ અભિયાનની કરી જાહેરાત

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 24 Aug 2026, 02:49 PM 👁 6
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ‘સ્કૂલ ઠીક કરો ગુજરાત’ અભિયાનની કરી જાહેરાત

ગુજરાતના લોકો પોતાના ગામ-શહેરની સ્કૂલની વિઝીટ કરી અને સ્કૂલની સમસ્યાના ફોટો વિડિયો 9512040404 નંબર પર મોકલે: ઈસુદાન ગઢવી

*જો તમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની ટીમને બોલાવવા માંગતા હોય તો 9512040404 પર સંપર્ક કરો: ઈસુદાન ગઢવી*

*આવતીકાલથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ‘સ્કૂલ ઠીક કરો ગુજરાત’ અભિયાન શરૂ થશે: ઈસુદાન ગઢવી*

*નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે પંજાબની AAP સરકારના શાસનમાં પંજાબ શિક્ષણમાં નંબર 1 રાજ્ય બન્યું: ઈસુદાન ગઢવી*

*નીતિ આયોગના આંકડા પ્રમાણે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની હાલત ખરાબ: ઈસુદાન ગઢવી*

*”મોદી મોદી” કરવાની જગ્યાએ હવે આપણે “ગુજરાતી ગુજરાતી” કરવાની જરૂર છે: ઈસુદાન ગઢવી*

*ગુજરાતમાં નવી સ્કૂલો શરૂ કરવાની જગ્યાએ સ્કૂલો બંધ થઈ રહી છે: ઈસુદાન ગઢવી*

*9000 શાળાઓ એક ઓરડાથી ચાલે છે: ઈસુદાન ગઢવી*

*લગભગ 3000 શાળાઓમાં માત્ર એક શિક્ષક, આ શાળાઓમાં એક લાખથી વધારે બાળકો અભ્યાસ કરે છે: ઈસુદાન ગઢવી*

*ગુજરાતમાં 25,000થી વધુ શિક્ષકોની ઘટ: ઈસુદાન ગઢવી*

*3.5 લાખ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો ભરતીની રાહ જોઈને બેઠા છે: ઈસુદાન ગઢવી*

*મજબૂરીમાં લોકો પોતાના બાળકોને પ્રાઇવેટ શાળામાં ભણાવી રહ્યા છે: ઈસુદાન ગઢવી*

*કાયદો એવો બનવો જોઈએ કે જે સરકાર સારું શિક્ષણ ન આપે તો એના મંત્રીઓ અને મુખ્યમંત્રીને જેલ થવી જોઈએ: ઈસુદાન ગઢવી*

*શિક્ષકોને 90-92 પ્રકારના કામ આપીને શિક્ષણની ઘોર ખોદી નાંખી: ઈસુદાન ગઢવી*

*શાળાઓમાં બાળકો જીવાત વાળું અનાજ ખાય છે: ઈસુદાન ગઢવી*

*હવે ગુજરાતના લોકોએ જાગવું પડશે અને ગુજરાતના બાળકોના ભવિષ્ય માટે ભાજપના કાર્યકરોએ પણ આ અભિયાનમાં જોડાવું પડશે: ઈસુદાન ગઢવી*

*ભાજપ સરકાર શિક્ષક મંડળોને ડરાવીને દબાણ કરી રહી છે અને વિપક્ષના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ કરાવવામાં આવી રહી છે: ઈસુદાન ગઢવી*

*ભાજપની 30 વર્ષની પોલ ન ખુલે એટલા માટે ખોટી એફઆઇઆર કરાવી રહ્યાં છે, પણ અમે ડરીશું નહીં: ઈસુદાન ગઢવી*

*જો કોઈપણ વ્યક્તિ સ્કૂલની મુલાકાતે જાય અને તેના પર કોઈ FIR થાય તો એ વ્યક્તિનો કેસ સુપ્રીમ કોર્ટ સુધી આમ આદમી પાર્ટી લડશે: ઈસુદાન ગઢવી
📲Get App