🔥 TRENDING West Bengal Finance Minister Swapan Da... West Bengal By‑election: Nandigram and... Severe Floods Grip Bihar as Major Rive... Bihar government warns against fishing... Bihar Man Parks New SUV on House Roof... PM Modi to inaugurate and lay foundati...
08 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુરમાં 15 ઓગસ્ટની જાહેર રજાના દિવસે ગ્રામસભાનું આયોજન
સાંતલપુર  માં 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વચ્ચે સાંતલપુર ગામમાં જાહેર રજાના દિવસે પણ ગામના હિત અને વિકાસને પ્રાથમિકતા આપી ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાંતલપુરમાં 15 ઓગસ્ટની જાહેર રજાના દિવસે ગ્રામસભાનું આયોજન સાંતલપુર માં 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વચ્ચે સાંતલપુર ગામમાં જાહેર રજાના દિવસે પણ ગામના હિત અને વિકાસને પ્રાથમિકતા આપી ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

✍️ Reporter: Mehul sinh jadeja 🗓 15 Aug 2026, 03:58 PM 👁 55
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરમાં 15 ઓગસ્ટની જાહેર રજાના દિવસે ગ્રામસભાનું આયોજન
સાંતલપુર માં 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વચ્ચે સાંતલપુર ગામમાં જાહેર રજાના દિવસે પણ ગામના હિત અને વિકાસને પ્રાથમિકતા આપી ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગ્રામસભામાં તલાટી સાહેબ તથા સરપંચ સાહેબની ઉપસ્થિતિમાં ગામના નાના-મોટા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનો પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરી શકે અને પંચાયત દ્વારા તે પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે હેતુથી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગામના વિકાસ માટે ગ્રામસભા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગ્રામજનો પોતાના પ્રશ્નો, સૂચનો અને વિકાસલક્ષી માંગણીઓ રજૂ કરે તો પંચાયત તંત્રને પણ ગામની વાસ્તવિક સમસ્યાઓ સમજવામાં સરળતા રહે છે અને તેના આધારે વિકાસના કામોને પ્રાથમિકતા આપી શકાય છે.
ગામના દરેક નાગરિકે ગ્રામસભામાં હાજરી આપી પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કરવા જોઈએ. લોકોની ભાગીદારીથી જ ગામનો સર્વાંગી વિકાસ શક્ય બને છે, ત્યારે ગ્રામસભાને વધુ અસરકારક બનાવવા ગ્રામજનોને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.
📲Get App