🔥 TRENDING સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેનને ભરૂચમાં... NIA conducts raids in Maharashtra and... Actor Anuraj Chahal to Join Zee TV’s ‘... Rohit Sharma to debut on TV this Septe... Cricket Star Rohit Sharma Launches TV... Yash's 'Toxic' Slumps 94% on Monday, B...
01 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર: ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું ફરી શરૂ, પાણીનું સંકટ ટળ્યું

✍️ Reporter: Siddharajsinh parmar 🗓 30 Aug 2026, 11:17 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટમાં ચાલુ વર્ષે પૂરતો વરસાદ ન પડવાને કારણે પીવાના પાણીની ભારે વિકટ પરિસ્થિતિ ઊભી થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી હતી. રાજકોટની જનતાને દૈનિક ધોરણે પર્યાપ્ત અને પૂરતા દબાણથી પાણી પૂરું પાડતા મુખ્ય સ્રોત એવા આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં જોઈએ તેવી પાણીની નવી આવક થઈ ન હતી. આ સ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોને પાણીના સંકટમાંથી ઉગારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના હેઠળ પાણી ફાળવવાની રજૂઆત કરવામાં આવી હતી.
📲Get App