Crime
બારડોલીમાં ધાર્મિક પ્રસંગના બહાને કેટરર્સ સાથે ઠગાઈ: ₹1.20 લાખના પિત્તળના તપેલા પડાવી ઠગ ફરાર
Watch on:
📘 Facebook
બારડોલીમાં ધાર્મિક પ્રસંગના નામે કેટરિંગના વેપારી પાસેથી ભાડે લીધેલા ₹1.20 લાખની કિંમતના પિત્તળના ત્રણ મોટા તપેલા પરત ન કરી વિશ્વાસઘાત આચરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બારડોલીમાં ધાર્મિક પ્રસંગમાં રસોઈ બનાવવાનું બહાનું ધરી વેપારીઓ સાથે છેતરપિંડી આચરતી ટોળકી સક્રિય થઈ છે. શાસ્ત્રી રોડ સ્થિત સાંઈનાથ પાર્કમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા 48 વર્ષીય જોમતારામ ઉર્ફે જગદીશભાઈ ઓટાજી પુરોહિત સાથે ₹1.20 લાખની કિંમતના કિંમતી વાસણોની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ભોગ બનનાર વેપારીએ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 3 સપ્ટેમ્બરના રોજ મોહમ્મદ સાહિબ નામના એક શખ્સે કેટરિંગ વ્યવસાયી જગદીશભાઈનો મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો. તેણે ચાંદપીર દરગાહ ખાતે આશરે 600 લોકો માટે દૂધ બનાવવાનું હોવાનું કહી મોટા વાસણોની માંગણી કરી હતી. વેપારીએ ધાર્મિક પ્રસંગ હોવાથી વિશ્વાસ મૂકીને પિત્તળનાં ત્રણ મોટાં તપેલાં દૈનિક ₹500ના ભાડા લેખે બે દિવસ માટે આપ્યાં હતાં.
જોકે, બે દિવસની મુદત પૂર્ણ થઈ ગયા બાદ પણ આરોપી દ્વારા તપેલાં પરત કરવામાં આવ્યા ન હતા. વેપારીએ સંપર્ક સાધતા આરોપી તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો, જેથી તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. પિત્તળના એક તપેલાની અંદાજિત કિંમત ₹40,000 લેખે કુલ ₹1.20 લાખનો મુદ્દામાલ પચાવી પાડવામાં આવ્યો છે.
આ પ્રકારના ગુનાઓમાં ઠગ ટોળકીઓ વેપારીઓની ધાર્મિક લાગણીઓનો ગેરફાયદો ઉઠાવી રહી છે. જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગનું નામ લેવામાં આવે છે, ત્યારે વેપારીઓ સહજતાથી માની લે છે કે ધર્મના કામમાં કોઈ ખોટું નહીં બોલે. આ માનસિકતાના કારણે વેપારીઓ કાગળો કે એડવાન્સ રકમની માંગણી કર્યા વિના નિયમો બાજુ પર મૂકી દે છે, જેનો લાભ આવા ચાલાક ઠગો ઉઠાવે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 3 સપ્ટેમ્બરના રોજ મોહમ્મદ સાહિબ નામના એક શખ્સે કેટરિંગ વ્યવસાયી જગદીશભાઈનો મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો. તેણે ચાંદપીર દરગાહ ખાતે આશરે 600 લોકો માટે દૂધ બનાવવાનું હોવાનું કહી મોટા વાસણોની માંગણી કરી હતી. વેપારીએ ધાર્મિક પ્રસંગ હોવાથી વિશ્વાસ મૂકીને પિત્તળનાં ત્રણ મોટાં તપેલાં દૈનિક ₹500ના ભાડા લેખે બે દિવસ માટે આપ્યાં હતાં.
જોકે, બે દિવસની મુદત પૂર્ણ થઈ ગયા બાદ પણ આરોપી દ્વારા તપેલાં પરત કરવામાં આવ્યા ન હતા. વેપારીએ સંપર્ક સાધતા આરોપી તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો, જેથી તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. પિત્તળના એક તપેલાની અંદાજિત કિંમત ₹40,000 લેખે કુલ ₹1.20 લાખનો મુદ્દામાલ પચાવી પાડવામાં આવ્યો છે.
આ પ્રકારના ગુનાઓમાં ઠગ ટોળકીઓ વેપારીઓની ધાર્મિક લાગણીઓનો ગેરફાયદો ઉઠાવી રહી છે. જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગનું નામ લેવામાં આવે છે, ત્યારે વેપારીઓ સહજતાથી માની લે છે કે ધર્મના કામમાં કોઈ ખોટું નહીં બોલે. આ માનસિકતાના કારણે વેપારીઓ કાગળો કે એડવાન્સ રકમની માંગણી કર્યા વિના નિયમો બાજુ પર મૂકી દે છે, જેનો લાભ આવા ચાલાક ઠગો ઉઠાવે છે.