National
મહિસાગર જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વ વીરપુર તાલુકામાં ઉજવાશે
મહિસાગર જિલ્લાનો જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વ ની ઉજવણી ના કાર્યક્રમ આગામી 15 મી ઓગસ્ટ ના રોજ વીરપુર તાલુકાના વરધરા ખાતે યોજાશે. જેના અનુસંધાને આજરોજ જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી . આ બેઠક માં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વ ની ગૌરવપૂર્ણ ઉજવણી થાય તે બાબતે આયોજન અને સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ધજવંદન ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પરેડ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન રમતવીરો તથા વિવિધ વિભાગો માં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ તથા કર્મચારીઓનું સન્માન કરવામાં આવનાર છે