ગરુડેશ્વરમાં ભારે વરસાદ-પવનની અસર: ભુમલીયા ચોકડીથી ઝરીયા કેનાલ માર્ગ પર પડેલું વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કરાયો
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં ભારે વરસાદ અને પવનના કારણે ભુમલીયા ચોકડીથી ઝરીયા કેનાલ સુધીના માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
ઘટનાની જાણ થતાં જ જિલ્લા તંત્રની ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમે માર્ગ પર પડેલા વૃક્ષને દૂર કરી અવરજવર માટે રસ્તો ફરીથી ખુલ્લો કર્યો હતો.
તંત્રની સમયસરની કામગીરીના કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલી દૂર થઈ હતી અને માર્ગ પર વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ જિલ્લા તંત્રની ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમે માર્ગ પર પડેલા વૃક્ષને દૂર કરી અવરજવર માટે રસ્તો ફરીથી ખુલ્લો કર્યો હતો.
તંત્રની સમયસરની કામગીરીના કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલી દૂર થઈ હતી અને માર્ગ પર વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.