બનાસકાંઠાના પાલનપુર નજીક
બનાસકાંઠાના પાલનપુર નજીક ખરોડિયા ચોકડી પાસે વડગામ તરફથી આવતી પેસેન્જર રિક્ષા અને સામેથી આવતી ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ ભયાનક ટક્કરમાં રિક્ષામાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. 108 મારફતે ઘાયલોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.