આજરોજ હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત શ્રી હિંમત હાઈસ્કૂલ એનએસએસ વિભાગ દ્વારા વૃક્ષારોપણ તેમજ એક પેડ મા કે નામ અંતર્ગત
આજરોજ હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત શ્રી હિંમત હાઈસ્કૂલ એનએસએસ વિભાગ દ્વારા વૃક્ષારોપણ તેમજ એક પેડ મા કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જેમાં શાળાના એનએસએસ વિભાગના સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ એનએસએસના તમામ સ્વયંસેવકોને એક એક વૃક્ષ આપવામાં આવ્યું દરેક સ્વયંસેવકોએ પોતે એક વૃક્ષ ઉછેરવા નો સંકલ્પ લીધો આ કાર્યક્રમની શરૂઆતમાં એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ધવલકુમાર પ્રવીણભાઈ પટેલ સ્વયંસેવકોને વૃક્ષોનું મહત્વ તેમજ એક પેડમાં કે નામ અંતર્ગત ચાલતા અભિયાન વિશે માહિતગાર કર્યા આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી એસ એસ પટેલ સાહેબ ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી પી જે મહેતા સાહેબ ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ધવલ પટેલ કર્યો હતો. કાર્યક્રમ સફળ બનાવવામાં સેવક શ્રી દિપકભાઈ સાંખલાએ પણ પોતાનું યોગદાન આપ્યું હતું