🔥 TRENDING Doctor Arrested for Fake FMG Certifica... GV Prakash Kumar Unveils ‘Spider‑Man:... Daily Music Roll Releases List of 10 I... Uttarakhand Opens B.Ed 2026 Registrati... Uttarakhand CM, Son of Soldier, Highli... Sonam Wangchuk Continues Hunger Strike...
27 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નર્મદા જિલ્લામાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત કલેક્ટરને આવેદનપત્ર અપાયું

નર્મદા જિલ્લામાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત કલેક્ટરને આવેદનપત્ર અપાયું

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 27 Jul 2026, 05:58 PM 👁 16
નર્મદા જિલ્લામાં આજે વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરને હસ્તાક્ષરયુક્ત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
સાધુ-સંતો, ગૌસેવકો અને સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં આપવામાં આવેલા આ આવેદનપત્રમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી, રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગૌવંશના સંરક્ષણ માટે મજબૂત અને અસરકારક નીતિઓ ઘડવાની માંગ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે, નિરાધાર અને રખડતા ગૌવંશના સંરક્ષણ માટે વિશેષ પગલાં લેવામાં આવે તેમજ ગૌવંશને સુરક્ષિત અને સન્માનજનક જીવન મળી રહે તે માટે સરકાર દ્વારા ઠોસ અને કાયમી પગલાં ભરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ જણાવ્યું હતું કે ગૌવંશ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું મહત્વપૂર્ણ પ્રતીક છે. દેશભરમાંથી ઉઠી રહેલી જનભાવનાઓને દેશના સર્વોચ્ચ નેતૃત્વ સુધી પહોંચાડવાના હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેથી ગૌસંરક્ષણ માટે જરૂરી નિર્ણયો લેવામાં આવે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ-સંતો, ગૌસેવકો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ગૌવંશના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર દ્વારા હકારાત્મક અને અસરકારક નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
📲Get App