🔥 TRENDING India Regains No.1 Spot in ICC T20I Ra... Saanvie Tallwar Says She Avoided Filin... Ranbir Kapoor Refutes Rumours of Dhoom... Jaaved Jaaferi Shapes Manav Role in Dh... Bollywood Hungama Unveils 20 New Photo... Bollywood Hungama Releases 5 Photos of...
26 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ કંપની ની બેદરકારી સામે આવી છે.  આસપાસના ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી.

સાંતલપુર તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ કંપની ની બેદરકારી સામે આવી છે. આસપાસના ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી.

✍️ Reporter: MEHUL SINH JADEJA 🗓 26 Jul 2026, 05:36 PM 👁 29
*સાંતલપુર માં સતત બે દિવસના વરસાદ બાદ સાંતલપુર તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ કંપની ની બેદરકારી સામે આવી છે. આસપાસના ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી.

ફરિયાદ કરવા માટે ના હેલ્પલાઇન નંબર પર ફોન કરવામાં આવે તો કોઈ જવાબ મળતો નથી. ઓફિસમાં પણ કોઈ જવાબદાર અધિકારી મળતો નથી.

સ્થાનિકોનો આક્ષેપ છે કે ચોમાસા પહેલા થાંભલા અને તારોની જાળવણી કરવામાં આવી ન હતી. જેના કારણે નાના વરસાદમાં જ આખી વીજ વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે.

લોકોમાં ઉત્તર ગુજરાતવીજ કંપનીની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
📲Get App