🔥 TRENDING MP Fort Cannon Stolen Vijay's Film Screening Halted in Chenn... Monsoon Intensifies This Week 60-Year-Old Woman Murdered in Muraina... Bhopal Interns Demand Stipend Hike Former Karnataka CM Siddaramaiah Annou...
27 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કારગીલ વિજય દિવસ નિમિત્તે સુરતના મોટા વરાછા ખાતે નાયબ મુખ્યમંત્રી

કારગીલ વિજય દિવસ નિમિત્તે સુરતના મોટા વરાછા ખાતે નાયબ મુખ્યમંત્રી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 26 Jul 2026, 10:08 AM 👁 19
કારગીલ વિજય દિવસ નિમિત્તે સુરતના મોટા વરાછા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ૧૦૦ ફૂટ ઊંચા ભવ્ય ધ્વજના ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાનું અનાવરણ કર્યું.

આ પ્રસંગે કારગીલ યુદ્ધના અમર શહીદોના અદમ્ય શૌર્ય, અવિસ્મરણીય બલિદાન અને અખંડ રાષ્ટ્રભક્તિને કૃતજ્ઞતાપૂર્વક વંદન કર્યા. તેમના પરાક્રમે દેશની એકતા, અખંડિતતા અને સ્વાભિમાન અડીખમ છે, જે આવનારી પેઢીઓ માટે સદાય પ્રેરણારૂપ રહેશે.
📲Get App