આગામી ગણપતિ મહોત્સવ ને અનુલક્ષીને શાંતિ સમિતિ ની બેઠક
મહિસાગર જિલ્લા અને લુણાવાડા તાલુકામાંઆગામી સમયમાં શરૂ થનાર ગણપતિ ઉત્સવ અને તહેવાર શાંતિપૂર્વક અને કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ વગર ઉજવાય તે માટે માર્ગદર્શન અને સૂચના આપવા માટે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક લુણાવાડા ખાતે યોજવામાં આવી હતી જેમાં વિવિધ ગણપતિ મંડળોના આયોજકો સમાજના અગ્રણીઓ તેમજ સર્વ ધર્મ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા આગામી તહેવાર શાંતિપૂર્વક અને વિના વિઘ્ને ઉજવાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત ડીજેના ઉપયોગ અંગે ની માર્ગદર્શિકા નું પાલન થાય અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે પણ યોગ્ય સૂચના આપવામાં આવી હતી તમામ સમાજના અગ્રણીઓએ તહેવારોની શુભેચ્છા પાઠવી હતી અને સમગ્ર તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તે અંગે ખાતરી આપી હતી