વીરમગામ શહેરમાં ગણેશ મહોત્સવ-2026 અંતર્ગત શાંતિ સમિતિની બેઠક યોજાઈ
અમદાવાદ ગ્રામ્યના વીરમગામ શહેરમાં ગણેશ મહોત્સવ-2026 અંતર્ગત ટાઉન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. નાયબ પોલીસ અધિક્ષક તથા પીઆઈની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ મહોત્સવની ઉજવણી થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
બેઠકમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ મહોત્સવની ઉજવણી થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ