🔥 TRENDING India junior men clinch record sixth A... Yellow Rain Alert Issued for Seven Dis... Mumbai, Thane on Orange Alert as Monso... IMD Issues Yellow Alert as Heavy Rain... Viral Video: Ganesh Idol Falls as Trol... Schoolchildren's Viral Video Prompts R...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પલસાણા તાલુકાની માયનોર નહેરમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે શરૂ કરી તપાસ

✍️ Reporter: Dhaval Maheta 🗓 13 Sep 2026, 06:50 PM 👁 8
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પલસાણા તાલુકાના એરથાણ ગામની સીમમાં આવેલી માયનોર નહેરમાંથી આશરે ૨૫ વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે ઘટનાની જાણ મળતાં મૃતદેહનો કબજો લઈને આગળની તપાસ હાથ ધરી છે.

પલસાણા તાલુકાના એરથાણ ગામની સીમમાં આવેલી માયનોર નહેરમાંથી આશરે ૨૫ વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબજો લીધો છે અને આગળની તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, મળેલા મૃતદેહના યુવકના હાથ પર 'મધુકર' નામનું ટેટૂ ચીતરેલું છે. આ યુવક ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યા પહેલાં ચલથાણથી વાંઝ તરફ જતી માયનોર નહેરમાં પડી ગયો હતો. પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ બનાવ અંગે ચલથાણ ગામની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા નંદકિશોર ગંભીર બોરસે (ઉંમર ૪૫ વર્ષ, વ્યવસાય ફોટોગ્રાફી) દ્વારા પલસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરીને મૃતક યુવકની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
📲Get App