Local
જંબુસર તાલુકાના માછીમાર અક્ષય વાઘેલાનો મૃતદેહ દહેગામના દરિયાકિનારેથી મળ્યો, વિસ્તારમાં શોકનો માહોલ
જંબુસર તાલુકાના સારોદ, વેડચ અને માલપુર ગામના માછીમારો દરિયામાં ફસાયા બાદ લાપતા થયેલા અક્ષય વાઘેલાનો મૃતદેહ આજે દહેગામના દરિયાકિનારેથી મળી આવ્યો છે. NDRFની ટીમ અને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી શોધખોળ બાદ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
જંબુસર તાલુકાના સારોદ, વેડચ અને માલપુર ગામના માછીમારો દરિયામાં ફસાયા બાદ લાપતા થયેલા અક્ષય વાઘેલાનો મૃતદેહ આજે દહેગામના દરિયાકિનારેથી મળી આવ્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
અક્ષય વાઘેલાની NDRFની ટીમ સહિત સ્થાનિકો દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી હતી. આજે તેમનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
ઘટના સ્થળે દહેગામના સરપંચ, કાવીના સરપંચ તેમજ દહેગામ તાલુકા પંચાયતના સભ્યશ્રી હાજર રહ્યા હતા અને જરૂરી કામગીરીમાં સહયોગ આપ્યો હતો. અક્ષય વાઘેલાના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે.
અક્ષય વાઘેલાની NDRFની ટીમ સહિત સ્થાનિકો દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી હતી. આજે તેમનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
ઘટના સ્થળે દહેગામના સરપંચ, કાવીના સરપંચ તેમજ દહેગામ તાલુકા પંચાયતના સભ્યશ્રી હાજર રહ્યા હતા અને જરૂરી કામગીરીમાં સહયોગ આપ્યો હતો. અક્ષય વાઘેલાના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે.