स्थानीय
અમદાવાદ-ખેડબ્રહ્મા માર્ગે બપોરની વિશેષ મેમુ ટ્રેન માટે સાંસદની અરજી..
यहाँ देखें:
📘 Facebook
સાંસદ શોભનાબેન બારૈયાએ ભાદરવી પૂનમ, નવરાત્રિ અને દિવાળી તહેવારો દરમિયાન યાત્રાળુઓ માટે બપોરની વિશેષ મેમુ ટ્રેન અને વધારાના સ્ટોપેજની માંગ કરી..
સાંસદ શોભનાબેન.એમ.બારૈયાએ અમદાવાદથી ખેડબ્રહ્મા વચ્ચે બપોરના સમયગાળા માટે વિશેષ મેમુ ટ્રેન શરૂ કરવાની વિનંતી પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ વેદ પ્રકાશને પત્ર દ્વારા રજૂ કરી છે.
ખેડબ્રહ્મા પવિત્ર યાત્રાધામ છે, અંબાજી જેવા ધાર્મિક સ્થળો માટે દર વર્ષે ભાદરવી પૂનમ, નવરાત્રિ અને દિવાળી તહેવારોમાં હજારો યાત્રાળુઓ આવે છે. આ તહેવારો દરમિયાન મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે.
ટ્રેનની શરૂઆતથી મુસાફરોને વધારાના સ્ટોપેજની પણ માંગ કરવામાં આવી છે, જેથી વિવિધ સ્ટેશનો પર યાત્રાળુઓને સુવિધા મળી શકે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને આસપાસના વિસ્તારોના પદયાત્રીઓ માટે આ વ્યવસ્થા મોટી રાહત આપશે.
શોભનાબેન બારૈયાએ આ વિશેષ મેમુ ટ્રેનને ભાદરવા માસની શરૂઆતથી કારતક પૂર્ણિમા સુધી નિયમિત રીતે ચલાવવા રેલવે તંત્રને અનુરોધ કર્યો છે. રેલવે અધિકારીઓની હકારાત્મક પ્રતિસાદની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
ખેડબ્રહ્મા પવિત્ર યાત્રાધામ છે, અંબાજી જેવા ધાર્મિક સ્થળો માટે દર વર્ષે ભાદરવી પૂનમ, નવરાત્રિ અને દિવાળી તહેવારોમાં હજારો યાત્રાળુઓ આવે છે. આ તહેવારો દરમિયાન મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે.
ટ્રેનની શરૂઆતથી મુસાફરોને વધારાના સ્ટોપેજની પણ માંગ કરવામાં આવી છે, જેથી વિવિધ સ્ટેશનો પર યાત્રાળુઓને સુવિધા મળી શકે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને આસપાસના વિસ્તારોના પદયાત્રીઓ માટે આ વ્યવસ્થા મોટી રાહત આપશે.
શોભનાબેન બારૈયાએ આ વિશેષ મેમુ ટ્રેનને ભાદરવા માસની શરૂઆતથી કારતક પૂર્ણિમા સુધી નિયમિત રીતે ચલાવવા રેલવે તંત્રને અનુરોધ કર્યો છે. રેલવે અધિકારીઓની હકારાત્મક પ્રતિસાદની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.