🔥 TRENDING मुरादगंज के शिव शंभू स्वीट हाउस में सि... ਹੁਸੈਨਪੁਰ ਵਿੱਚ 14ਵਾਂ ਭਗਵਤੀ ਜਾਗਰਣ ਧੂਮਧਾਮ... திருச்செந்தூரில் ஒரே நாளில் 100-க்கும்... Indian landlady responds to viral hara... Tribune India sees spike in searches f... Odisha CM Mohan Majhi Returns After Of...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બોરીદ્રા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાન, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની રેલી

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 11 Sep 2026, 03:14 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નાદોદ તાલુકાના બોરીદ્રા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સ્વચ્છતા રેલી યોજાઈ, જનજાગૃતિનો સંદેશ આપ્યો.

નાદોદ તાલુકાના બોરીદ્રા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્વચ્છતા રેલી દ્વારા સ્વસ્થ અને સુખી જીવન માટેની મહત્વતા દર્શાવી. આ કાર્યક્રમનું મુખ્ય હેતુ બાળકોમાં સ્વચ્છતાનું મૂલ્ય અને તેની જાગૃતિ કેળવવું હતું.

રેલી દરમિયાન ભાગ લેનારાઓએ સ્વચ્છતા જાળવવા, આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા અને સ્વચ્છતાને જીવનશૈલીનો ભાગ બનાવવા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રેલીમાં ભાગ લઈ, સ્વચ્છતા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી લોકોને પહોંચાડી.

આ પ્રસંગે બોરીદ્રાના અનિલ ગુરુજીએ, જે ‘સેવાનું ઝરણું’ તરીકે એજાણીતા છે, બાળકોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું. તેમણે સ્વચ્છતા માત્ર અભિયાન સુધી સીમિત ન રહે, પરંતુ રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બને તે માટે સૌને સંકલ્પબદ્ધ થવા વિનંતી કરી.

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ સાથે સામાજિક જવાબદારીની ભાવના પણ કેળવાઈ, જે ભવિષ્યમાં સ્વચ્છતા પ્રત્યેની સકારાત્મક દ્રષ્ટિમાં પરિવર્તિત થશે.
📲Get App