Religion
સાવરકુંડલામાં સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ કથા આરંભ
સાવરકુંડલા સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા શ્રાવણ માસમાં 8 થી 10 સપ્ટેમ્બર સુધી ત્રિદિવસીય શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ કથા આયોજિત કરવામાં આવી, જેમાં શાસ્ત્રી સ્વામી ધનશ્યામવલ્લભદાસજી અને સ્વામી છપૈયાપ્રકાશદાસજી કથામૃતનું રસપાન કરશે.
સાવરકુંડલા, 8 સપ્ટેમ્બર—સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા શ્રાવણ માસની ઉજવણી તરીકે 8 થી 10 સપ્ટેમ્બર સુધી ત્રિદિવસીય ‘શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ કથા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથા શિવાજીનગર સ્થિત પટેલ જ્ઞાતિ વાડીમાં યોજાશે.
કથામાં શાસ્ત્રી સ્વામી ધનશ્યામવલ્લભદાસજી અને સ્વામી છપૈયાપ્રકાશદાસજી કથામૃતનું રસપાન કરશે. સમયસૂચિ મુજબ 8 સપ્ટેમ્બર સવારે 8:30 વાગ્યે મહિલા મંદિરથી પોથીયાત્રા અને 11:30 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે. 9 સપ્ટેમ્બર પ.પૂ. ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજનું પાવન આગમન રહેશે. 10 સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યે કથાની પૂર્ણાહુતિ થશે. કથા સવાર 9 થી 12 અને બપોરે 3 થી 6 કલાક સુધી પ્રસારિત થશે.
આ મહોત્સવમાં વડતાલ, ગઢપુર, જૂનાગઢના સંતો તેમજ સાંખ્યયોગી બહેનો ખાસ ઉપસ્થિત રહેશે. સાવરકુંડલા અને આસપાસના ભાવિક ભક્તો માટે મહિલા મંદિર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેથી તેઓ કથાનો લાભ લઈ શકશે.
રિપોર્ટર રંગપરા શૈલેષભાઈ, NEED 24 NEWS, અમરેલી,
કથામાં શાસ્ત્રી સ્વામી ધનશ્યામવલ્લભદાસજી અને સ્વામી છપૈયાપ્રકાશદાસજી કથામૃતનું રસપાન કરશે. સમયસૂચિ મુજબ 8 સપ્ટેમ્બર સવારે 8:30 વાગ્યે મહિલા મંદિરથી પોથીયાત્રા અને 11:30 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે. 9 સપ્ટેમ્બર પ.પૂ. ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજનું પાવન આગમન રહેશે. 10 સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યે કથાની પૂર્ણાહુતિ થશે. કથા સવાર 9 થી 12 અને બપોરે 3 થી 6 કલાક સુધી પ્રસારિત થશે.
આ મહોત્સવમાં વડતાલ, ગઢપુર, જૂનાગઢના સંતો તેમજ સાંખ્યયોગી બહેનો ખાસ ઉપસ્થિત રહેશે. સાવરકુંડલા અને આસપાસના ભાવિક ભક્તો માટે મહિલા મંદિર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેથી તેઓ કથાનો લાભ લઈ શકશે.
રિપોર્ટર રંગપરા શૈલેષભાઈ, NEED 24 NEWS, અમરેલી,