🔥 TRENDING बदायूं में सड़क दुर्घटनाओं में १८ मौते... దళితుల సమస్యలు పరిష్కరించాలి.. డీహెచ్‌... શાળામાં હિરેન જાડવનું જન્મદિવસ અને નોટ... મોડાસા મામલતદાર દ્વારા સરકારી ગાડીનો વ... નેપાળના બેત્રાવતીમાં ભારે પૂર‑ભૂસ્ખલન,... Body Retrieved from Jhelum River in Aw...
08 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

ગાંધીનગરના શ્રી અરવિંદ કેન્દ્રમાં ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ‘પુસ્તક પરવ’ નો ભવ્ય પ્રારંભ, વાંચનની ટેવ પુનઃજીવંત કરવાનો પ્રયાસ

✍️ Reporter: Sudip Gadhiya 🗓 08 Sep 2026, 09:32 AM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પુસ્તક પરવનું આયોજન માતૃભાષા, સાહિત્ય અને વાંચનની સંસ્કૃતિના સંવર્ધન માટે કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે મળેલો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ વાંચનપ્રેમીઓ માટે આશાસ્પદ બની રહ્યો છે.

શ્રી અરવિંદ કેન્દ્ર, સેક્ટર-૨૩, ગાંધીનગર ખાતે તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ‘પુસ્તક પરવ’ નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઐકત્રિત પહેલ માતૃભાષા, સાહિત્ય અને વાંચનની સંસ્કૃતિના સંવર્ધન માટે શરૂ કરવામાં આવ્યો હતો.

આ પુસ્તક પરવનું આયોજન શ્રી અરવિંદ કેન્દ્ર અને માતૃભાષા अभियાનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રીમતી પારુલબેન મહેતા, સુશ્રી અનિતાબેન ચાવડા, શ્રીમતી રીંકુબેન ઉપાધ્યાય તથા શ્રીમતી એકતાબેન યાજ્ઞિકે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને સમાજમાં સાહિત્ય પ્રત્યે રુચિ વધારવાના હેતુથી યોજાયેલા આ પુસ્તક પરવને પ્રથમ દિવસથી જ ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. આ ડિજિટલ યુગમાં ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે નવી પેઢીને પુસ્તકો સાથે જોડવી અને વાંચનની ટેવ વિકસાવવી સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે. પુસ્તકો માત્ર જ્ઞાનનું માધ્યમ નથી, પરંતુ વ્યક્તિના વિચારવિશ્વને વિસ્તૃત કરવાની અને સમાજમાં ચિંતનશીલતા વિકસાવવાની શક્તિ ધરાવે છે.

શ્રી અરવિંદ કેન્દ્ર ખાતે શરૂ થયેલા આ પુસ્તક પરવને પ્રથમ દિવસે મળેલો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ વાંચનપ્રેમીઓ માટે આશાસ્પદ બની રહ્યો છે.
સંકલન અનિતા ચાવડા
📲Get App