🔥 TRENDING நெல்லை மாவட்டத்தில் 16 வயது +2 மாணவியை... જિલ્લા કક્ષાએ સેવાના સેતુ 2.1 કાર્યક્ર... ਤੂਰਬੰਜਾਰਾ ਦੇ ਗੁਲਜ਼ਾਰ ਸਿੰਘ ਦੀ ਮੌਤ, ਸਲਫ਼... ਕੋਟ ਕਪੂਰਾ ਬਾਈਪਾਸ 'ਤੇ ਹਾਲ ਹੀ ਵਿੱਚ ਟੱਕਰ,... *सचिव ने किया विधिक जागरूकता शिविर का... पटना : बिक्रम पुलिस की बड़ी कार्रवाई,...
08 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

સ્થાનિકોની બેદરકારી: જ્યાં 'કચરો નાખવો નહીં' નું બોર્ડ મારેલું હોય ત્યાં જ લોકો કચરો ફેંકી રહ્યા છેછ

✍️ Reporter: Kapatel samitkuamr harishbhai 🗓 06 Sep 2026, 09:56 AM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે, જ્યાં કચરો ન નાખવા માટે બોર્ડ લગાવવામાં આવ્યું હોય ત્યાં જ લોકો દ્વારા કચરો ફેંકવામાં આવી રહ્યો છે.

સ્થાનિક વિસ્તારોમાં લોકોની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. સામાન્ય રીતે સ્વચ્છતા જાળવવા માટે વહીવટી તંત્ર કે સ્થાનિકો દ્વારા જે જગ્યાએ 'કચરો નાખવો નહીં' અથવા 'અહીં કચરો નાખવાની મનાઈ છે' તેવા બોર્ડ મારવામાં આવ્યા હોય છે, લોકો બરાબર તે જ જગ્યાએ કચરો ફેંકી રહ્યા છે.

આ પ્રકારની પ્રવૃત્તિને કારણે જે સ્થળોને સ્વચ્છ રાખવા માટે બોર્ડ લગાવવામાં આવ્યા છે, તે જ સ્થળો કચરાના ઢગલામાં ફેરવાઈ રહ્યા છે. લોકો બોર્ડ મારેલું હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને ત્યાં જ કચરો નાખવાની માનસિકતા ધરાવતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

આવી બેદરકારીના કારણે આસપાસના વિસ્તારોમાં ગંદકી ફેલાય છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ રહે છે. સ્વચ્છતા જાળવવા માટે લોકોએ પોતાની જવાબદારી સમજીને આવા બોર્ડ મારેલા સ્થળો પર કચરો નાખવાનું બંધ કરવું જોઈએ તે અત્યંત જરૂરી બન્યું છે.
📲Get App