🔥 TRENDING રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ... ગુજરાતમાં ૨૯ ઓગસ્ટ સુધી ભારે વરસાદની શ... Kuki‑Zo Council Turns Down Call for NR... Manipur Assembly Term Could End Early... Assam Cab Operators End Blockade After... Ten youths from Rupohihat return to As...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

તલોદની ટીયા ચોકડી પર રખડતા ઢોરનો આતંક: વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

✍️ Reporter: Zala axaratirthsinh 🗓 23 Aug 2026, 11:47 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તલોદની ટીયા ચોકડી પર રખડતા ઢોરના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે, જેનાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

તલોદની ટીયા ચોકડી પર છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. ચોકડી પર ગાયોના જમાવડાને કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક લોકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, ટીયા ચોકડી પર રખડતા ઢોરના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. રસ્તાની વચ્ચે જ ઢોર બેસી જતા હોવાથી વાહનોની અવરજવર જોખમી બની છે, જેના કારણે અકસ્માતનો ભય પણ રહે છે.

આ વિસ્તારમાં વધતા જતા ઢોરના ત્રાસથી રાહદારીઓ અને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે અને અકસ્માતોને અટકાવી શકાય.
📲Get App