🔥 TRENDING બહેરામપુરામાં પ્રોપર્ટી વિવાદમાં પથ્થર... વિરપુરના લીમ્બચ મંદિર ખાતે આયોજિત પોષણ... Tej Pratap Singh Praises Mallika Shera... Devotional film 'Hanuman Ansh' nets Rs... Emraan Hashmi's 'Awarapan 2' Tops Box... Awarapan 2 Hits Rs 140 Crore Mark on 1...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદ એરપોર્ટ જનારા મુસાફરો માટે ખુશખબર: રિવરફ્રન્ટ પર નવા રસ્તાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે

✍️ Reporter: Kharadi Dipak Kumar 🗓 23 Aug 2026, 03:44 PM 👁 9
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદમાં ડફનાળાથી એરપોર્ટ સુધીના નવા રસ્તાના નિર્માણથી મુસાફરોનો સમય બચશે અને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.

અમદાવાદ એરપોર્ટ તરફ જતા મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે રિવરફ્રન્ટ પર એક નવો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે, જે ડફનાળાથી એરપોર્ટ સુધીની મુસાફરીને વધુ સરળ બનાવશે.

આ નવા રસ્તાના નિર્માણથી એરપોર્ટ જતા રાહદારીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી મુક્તિ મળશે. ડફનાળાથી સદર બજાર સુધીનો રસ્તો શરૂ થવાથી વાહનચાલકોને ટ્રાફિક જામમાં ફસાવાની જરૂર નહીં પડે.

આ પ્રોજેક્ટના કારણે એરપોર્ટ પહોંચવા માટેના અંતરમાં પણ બેથી ત્રણ કિલોમીટરનો ઘટાડો થશે. આ સુવિધાના કારણે મુસાફરોનો કિંમતી સમય બચશે અને એરપોર્ટ સુધીની સફર વધુ ઝડપી અને અનુકૂળ બનશે.
📲Get App