Local
ગરુડેશ્વર અને તિલકવાડાના ૪૯૧ જરૂરિયાતમંદ બાળકોને અભિનવ શારદા ગ્રુપ દ્વારા બૂટ-મોજાંનું વિતરણ
વડોદરાના અભિનવ શારદા ગ્રુપ દ્વારા ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાની શાળાઓના ૪૯૧ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા બૂટ અને મોજાંનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગરુડેશ્વર તાલુકાની ૧૨ શાળાઓ અને તિલકવાડા તાલુકાની ગણશીડા શાળાના કુલ ૪૯૧ જરૂરિયાતમંદ બાળકો માટે અભિનવ શારદા ગ્રુપ, વડોદરા દ્વારા એક પ્રશંસનીય સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળા બૂટ અને મોજાંનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે તેમના માટે એક સુરક્ષા કવચ સમાન સાબિત થશે.
ધોમધખતા તાપમાં, કાંટા-ઝાંખરા અને કાચા-પાકા રસ્તાઓ પરથી શાળાએ જતા બાળકોના પગનું રક્ષણ કરવું અત્યંત જરૂરી છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અભિનવ શારદા ગ્રુપે આ સેવાકાર્ય કર્યું છે. આ માત્ર પગરખાંનું વિતરણ નથી, પરંતુ બાળકોના સ્વાભિમાન અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની એક સુંદર લાગણી છે.
આ સેવાકાર્ય બદલ અભિનવ શારદા ગ્રુપના તમામ દાતાઓ, શિક્ષક મિત્રો અને સેવાભાવી કાર્યકરોનો તિલકવાડા તથા ગરુડેશ્વર તાલુકાના શિક્ષકો, SMC સભ્યો અને ગ્રામજનો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાળકોના ચહેરા પરનું સ્મિત આ સમગ્ર સેવાકાર્યની સૌથી મોટી સફળતા છે.
ધોમધખતા તાપમાં, કાંટા-ઝાંખરા અને કાચા-પાકા રસ્તાઓ પરથી શાળાએ જતા બાળકોના પગનું રક્ષણ કરવું અત્યંત જરૂરી છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અભિનવ શારદા ગ્રુપે આ સેવાકાર્ય કર્યું છે. આ માત્ર પગરખાંનું વિતરણ નથી, પરંતુ બાળકોના સ્વાભિમાન અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની એક સુંદર લાગણી છે.
આ સેવાકાર્ય બદલ અભિનવ શારદા ગ્રુપના તમામ દાતાઓ, શિક્ષક મિત્રો અને સેવાભાવી કાર્યકરોનો તિલકવાડા તથા ગરુડેશ્વર તાલુકાના શિક્ષકો, SMC સભ્યો અને ગ્રામજનો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાળકોના ચહેરા પરનું સ્મિત આ સમગ્ર સેવાકાર્યની સૌથી મોટી સફળતા છે.