Local
જામનગરના મયુરનગર વિસ્તારમાં આવાસના મકાનમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ
Watch on:
▶️ YouTube
જામનગરના મયુરનગર નજીક આવેલા આવાસના મકાનમાં રાત્રિના સમયે આગ લાગતા દોડધામ મચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
જામનગરના મયુરનગર વિસ્તાર નજીક આવેલા આવાસના મકાનમાં રાત્રિના સમયે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાનમાં રહેલી ઘરવખરીના સામાનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટું નુકસાન ટળી ગયું હતું.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટું નુકસાન ટળી ગયું હતું.