🔥 TRENDING અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી દારૂ બ... રાજકોટ કોર્ટમાં વકીલો વચ્ચે થયેલી બોલા... ભાવનગર લઠ્ઠાકાંડ: શિક્ષણ મંત્રી જીતુભા... ਮਲੋਟ ਵਿੱਚ ਭਾਜਪਾ ਵਰਕਰ ’ਤੇ ਹਮਲੇ ਦੀ ਸਖ਼ਤ... વાવ અને થરાદમાં લઠ્ઠાકાંડના વિરોધમાં ક... बिना नंबर की गाड़ियां सरपट दौड़ रही लो...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગીરગઢડાના ધોકડવા ગામમાં કૂવામાં ખાબકતા સિંહનું કરુણ મોત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Aug 2026, 05:50 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીર સોમનાથના ગીરગઢડામાં એક સિંહ અંદાજે 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જતાં તેનું મોત નીપજ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં વનરાજના મોતની એક કરુણ ઘટના સામે આવી છે. ધોકડવા ગામની એક વાડીમાં આવેલ કૂવા પર લગાવેલી સુરક્ષા નેટ અચાનક તૂટી જતાં સિંહ સીધો કૂવામાં ખાબક્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ કૂવો અંદાજે 60 ફૂટ જેટલો ઊંડો હતો. કૂવામાં પાણી હોવાને કારણે અને ઊંડાઈ વધુ હોવાથી સિંહ બહાર નીકળી શક્યો ન હતો, જેના પરિણામે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગના અધિકારીઓ દ્વારા સિંહના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
📲Get App