National
લુણાવાડા ખાતે આવતી કાલે કાર્યક્રમ
Watch on:
▶️ YouTube
લુણાવાડા ખાતે આવતી કાલે રાજ્યના આદિજાતિ વિકાસ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના માનનીય મંત્રીશ્રી પી. સી. બરંડા સાહેબના અધ્યક્ષ પદે જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે સમરસ વિદ્યાસેતુ અભિયાન અને નવભારત સાક્ષરતા મિશન 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમ માં જિલ્લાની વિવિધ અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં ફરજ બજાવતા શિક્ષણ સહાયકોને પૂરા પગાર આદેશ પણ એનાયત કરવામાં આવનાર છે
આવતી કાલે સરદાર પટેલ વિદ્યાલય લુણાવાડા ખાતે યોજાનાર આ કાર્યક્રમ માં દાહોદના સાંસદ માનનીય જસવંતસિંહ ભાભોર પંચમહાલ ના સાંસદ માનનીય શ્રી રાજપાલસિંહ જાદવ તેમજ રાજ્યસભાના સાંસદ ડો. જસવંતસિંહ પરમાર ઉપરાંત સંતરામપુર ના ધારાસભ્ય માનનીય શ્રી કુબેરભાઈ ડિંડોર મોરવા હડફ ના ધારાસભ્ય માનનીય નિમિષાબેન સુથાર બાલાસિનોર ના ધારાસભ્ય માનનીય શ્રી માનસિંહ ચૌહાણ લુણાવાડા ના ધારાસભ્ય માનનીય શ્રી ગુલાબસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી કલ્પના બેન પુવાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે
આવતી કાલે સરદાર પટેલ વિદ્યાલય લુણાવાડા ખાતે યોજાનાર આ કાર્યક્રમ માં દાહોદના સાંસદ માનનીય જસવંતસિંહ ભાભોર પંચમહાલ ના સાંસદ માનનીય શ્રી રાજપાલસિંહ જાદવ તેમજ રાજ્યસભાના સાંસદ ડો. જસવંતસિંહ પરમાર ઉપરાંત સંતરામપુર ના ધારાસભ્ય માનનીય શ્રી કુબેરભાઈ ડિંડોર મોરવા હડફ ના ધારાસભ્ય માનનીય નિમિષાબેન સુથાર બાલાસિનોર ના ધારાસભ્ય માનનીય શ્રી માનસિંહ ચૌહાણ લુણાવાડા ના ધારાસભ્ય માનનીય શ્રી ગુલાબસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી કલ્પના બેન પુવાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે