🔥 TRENDING બોરીદ્રા પ્રાથમિક શાળામાં આદિવાસી સંસ્... Siddhu Jonnalagadda’s Debut Web Series... News18 Releases Weekly OTT Guide for A... Ramayana Film Skips India Release on N... TVGuide.com Unveils 58 Best Netflix Mo... Ramayana Film Set for Indian Release T...
08 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્ય આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સાવરકુંડલા ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ભાવવંદના કરી

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 08 Aug 2026, 09:40 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*રાજ્ય આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સાવરકુંડલા ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ભાવવંદના કરી*
*૦૦૦૦૦૦*
*અમરેલી તા. ૦૭ ઓગસ્ચ,૨૦૨૬ –* આજરોજ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સાવરકુંડલા સ્થિત શ્રી પટેલ જ્ઞાતિ વાડીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ભારતના લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા પૂજ્ય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, તેમના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવપૂર્વક ચરણ વંદના કરી હતી.

આ મુલાકાત વેળાએ સાવરકુંડલા-લીલીયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા તેમજ સાવરકુંડલા પટેલ સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પટેલ સમાજ જ્ઞાતિ વાડી ખાતે ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ સરદાર સાહેબના અપ્રતિમ રાષ્ટ્રપ્રેમ, દ્રઢ સંકલ્પશક્તિ અને અખંડિતતાના આદર્શોને યાદ કરી તેમના બતાવેલા માર્ગ પર ચાલવાની પ્રેરણા મેળવી હતી. પટેલ સમાજ સાવરકુંડલાના અગ્રણીઓ દ્વારા આ તકે રાજ્ય આરોગ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાનું ભાવભર્યું સ્વાગત અને બહુમાન પણ કરવામાં આવ્યું હતું.
📲Get App