માલવણ–વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત જૂનાપાધાર પરિવાર માટે બ્રિજની સફર બની અંતિમ સફર, અકસ્માતમાં મહિલાનું કરુણ મોત
માલવણ–વિરમગામ હાઇવે પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર ગાયત્રીબેન ઠાકોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, ગાયત્રીબેન પીપળી ગામેથી બાઇક પર પરત ફરી રહ્યા હતા. દરમિયાન દોલતપુરા ગામ પાસે કારની આગળ અચાનક ગાય આવી જતાં કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હોવાનો પ્રાથમિક અંદાજ છે. ત્યારબાદ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અકસ્મતમાં કારચાલકને પણ ઇજા થતાં સારવાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ દુઃખદ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ, ગાયત્રીબેન પીપળી ગામેથી બાઇક પર પરત ફરી રહ્યા હતા. દરમિયાન દોલતપુરા ગામ પાસે કારની આગળ અચાનક ગાય આવી જતાં કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હોવાનો પ્રાથમિક અંદાજ છે. ત્યારબાદ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અકસ્મતમાં કારચાલકને પણ ઇજા થતાં સારવાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ દુઃખદ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.