રાજસ્થળી ગામની દીકરીઓ દ્વારા આયોજિત પ્રથમ સખી સ્નેહ મિલન સમારોહ સુરત ખાતે યોજવામાં આવ્યો હતો
રાજસ્થળી ગામની દીકરીઓ દ્વારા આયોજિત પ્રથમ સખી સ્નેહ મિલન સમારોહ સુરત ખાતે યોજવામાં આવ્યો હતો.ગામની દીકરીઓએ પોતાના ગામની જૂની યાદો તાજી કરી હતી.પોતાનું બાળપણ જ્યાં વિત્યું હોય અને વર્ષો પછી એ બાળપણની સહેલીઓ એક સાથે ભેગી મળે ત્યારે જે હરખ અને આનંદ ની અનુભૂતિ થાય તે અવિસ્મરણીય હોય છે.સમગ્ર કાર્યક્રમમાં કેશુદાદા ની દુકાન આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું.જેમા ગામની તમામ દીકરીઓ ઉપસ્થિત રહી હતી.રાજસ્થળી ગામના સરપંચ શ્રી ગણપતભાઈ સેંજલિયા,પ્રવિણભાઇ સેંજલિયા,રમેશભાઈ નાકરાણી,ભરતભાઈ, સેંજલિયા,સુરેશભાઈ સાવલીયા,રાજેશભાઈ સાંગાણી,સંજયભાઈ સાંગાણી,કલ્પેશભાઈ સેંજલીયા ,અતુલભાઈ સાંગાણી,મુકેશભાઈ વાઘાણી,સહિત દાતા શ્રી તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.સમગ્ર આયોજન ગામની દીકરીઓ એ કર્યું હતું,આ કાર્યક્રમમાં આમંત્રણ આપી ને મારું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું તે બદલ આયોજક બહેનો અને ગામની તમામ દીકરીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છુ.