राजनीति
પેપર લીક વિરુદ્ધ કડક કાયદાને ભીખાભાઈ બારૈયાનો આવકાર, PM મોદીનો માન્યો આભાર
પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ પેપર લીક રોકવા માટેના નવા કાયદાને યુવાનોના ભવિષ્ય માટે ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો. તેમણે જણાવ્યું કે આ કાયદાથી પરીક્ષાઓમાં પારદર્શિતા વધશે અને મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય મળશે.
પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ કેન્દ્ર સરકાર દ્વારા Public Examinations (Prevention of Unfair Means) Bill ને મંજૂરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
તેમણે જણાવ્યું કે આ કાયદાથી સરકારી ભરતી અને જાહેર પરીક્ષાઓમાં પેપર લીક જેવી ગેરરીતિઓ પર કડક કાર્યવાહી થશે, પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને મહેનતુ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળશે.
ભીખાભાઈ બારૈયાએ જણાવ્યું કે આ નિર્ણય દેશના યુવાનોના ભવિષ્યને સુરક્ષિત બનાવશે અને પ્રામાણિક રીતે તૈયારી કરતા પરીક્ષાર્થીઓના સપનાઓને નવી આશા આપશે.
તેમણે જણાવ્યું કે આ કાયદાથી સરકારી ભરતી અને જાહેર પરીક્ષાઓમાં પેપર લીક જેવી ગેરરીતિઓ પર કડક કાર્યવાહી થશે, પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને મહેનતુ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળશે.
ભીખાભાઈ બારૈયાએ જણાવ્યું કે આ નિર્ણય દેશના યુવાનોના ભવિષ્યને સુરક્ષિત બનાવશે અને પ્રામાણિક રીતે તૈયારી કરતા પરીક્ષાર્થીઓના સપનાઓને નવી આશા આપશે.