🔥 TRENDING Bali Ferry Fire Claims One Life as 172... Tucson Murder Suspect Arrested in Germ... IPL Player Abhishek Porel Denied Bail... Kolkata Municipal Corporation Delimita... Udaya TV Unveils Cast and Characters o... Rohit Sharma Rumored to Quit Cricket f...
12 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Food

FSSAI દ્વારા પાન મસાલા નાં ફૂડ પેકેજિંગ નિયમોમાં સુધારો, નવું નિયમ અમલમાં

✍️ Reporter: Mukeshkumar Makwana 🗓 12 Aug 2026, 11:38 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

FSSAI એ 2018 ના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશનમાં સુધારો કરીને નવું પેકેજીંગ નિયમ જારી કર્યું છે, જે 10 ઓગસ્ટથી અમલમાં આવશે.

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ કેન્દ્ર સરકારની મંજુરી બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન 2018 માં સુધારો કરીને નવું ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પેકેજીંગ) એમેન્ડમેન્ટ રેગ્યુલેશન 2026 જારી કર્યું છે. આ નવા નિયમો અનુસાર, 10 ઓગસ્ટથી તમામ પ્રકારના પ્લાસ્ટિક પેકેજીંગ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવશે.

નવા નિયમમાં કાગળ, કાચ કે ટીન જેવી ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ પગલાંથી પર્યાવરણને સુરક્ષા મળશે, પરંતુ ઇકો ફ્રેન્ડલી મટીરીયલ વાપરવાથી ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

ઉત્પાદક કંપનીઓ અને ગ્રાહકો બંનેને આ નિયમોના અમલથી અસર થશે. ભાવમાં વધારાની શક્યતા અને ગુણવત્તા પર હસે અસર થવાની આશંકા છે. આ નિયમોનો ઉદ્દેશ્ય ન માત્ર ખાદ્ય સુરક્ષા વધારવાનો છે, પરંતુ પર્યાવરણને પણ સુરક્ષિત કરવાનો છે.
📲Get App